સતત ૧૩ મા વર્ષે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીંબડા ગામેથી 200 પદયાત્રીઓ સાથે સંઘ ખેડબ્રહ્મા આવી પહોંચ્યો હતો
નવરાત્રી નો પર્વ ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ વહેલી સવારે શ્રી આદશક્તિ પગપાળા સંઘ વડોદરા જિલ્લામાં આવેલા વાઘોડિયા તાલુકાના લીંબડા ગામેથી થી ૨૦૦ જણાનો સંઘ તારીખ19//92025 ના રોજ પદયાત્રીઓ ખેડબ્રહ્મા ખાતે આવી પહોંચ્યા હતા આ સંઘ તારીખ 12/ 9 /2025 ના રોજ 19/ 9/ 2025 ના રોજ ખેડબ્રહ્મા ખાતે આવી પહોંચ્યો હતો અને 21/ 9/ 2025 ના રોજ અંબાજી ખાતે પહોંચશે તેવું પદયાત્રી કિરીટભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું
આ સંઘ મા મહિલાઓ બાળકો પુરુષો સાથે ડીજેના તાલે રથ લઈ ખેડબ્રહ્મા મીની અંબાજી તરીકે ઓળખાતા અંબિકા માતાજી મંદિર ખાતે આ રથ સાથે પદયાત્રીઓ આવી પહોંચ્યા હતા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે શીશ નમાવી માના ચરણોમાં આશીર્વાદ લઈ અને અંબાજી તરફ નીકળ્યા હતા બોલ મારી અંબે જય જય અંબે ના જય ઘોશ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી રસ્તા ઉપર ભક્તિમય વાતાવરણ ઊભુ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે









Total Users : 782216
Total views : 33761466