best news portal development company in india

કહી ખુશી કહી ગમ ખેડબ્રહ્મા તાલુકામાંથી ભાજપ સંગઠનમાં ચાર કાર્યકર્તાઓની નિમણૂક

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા તાલુકામાંથી ભાજપ સંગઠનમાં ચાર કાર્યકર્તાઓની નિમણૂકપ્રદેશ પ્રમુખના આદેશથી જિલ્લા હોદ્દેદારોની કરાઈ નિમણૂક ભાજપ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખના આદેશથી જિલ્લા સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોમાં ખેડબ્રહ્મા તાલુકામાંથી ચાર કાર્યકર્તાઓને સ્થાન મળ્યું છે.ખેડબ્રહ્મા તાલુકાના અશોકભાઈ જોષી અને સુરેશભાઈ પુંજાભાઈ પટેલને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મહિલા સુથાર અંબિકાબેન જયરામભાઈને મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત, અનુસૂચિત જનજાતિ મોરચામાં મહામંત્રી તરીકે પરમાર શીવાભાઈ અરજણભાઈની નિમણૂક કરવામાં આવી છે.નવનિયુક્ત તમામ હોદ્દેદારોને શહેર અને તાલુકા સંગઠનના કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, કેટલાક કાર્યકર્તાઓ કે જેઓ સંગઠનમાં સક્રિય હતા, તેમને આ વખતે સ્થાન મળ્યું નથી.

Najar News
Author: Najar News

Leave a Comment