best news portal development company in india

ખેડબ્રહ્મામા તિરંગા પદયાત્રા યોજાઈ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મામા તિરંગા પદયાત્રા યોજાઈ

એક કિલોમીટર જેટલી લાગી લાંબી લાઈન થઈ

સ્વતંત્ર પર્વને લઈને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જે અંતર્ગત ખેડબ્રહ્મા શેઠ કે.ટી હાઈસ્કૂલ ખાતે તીરંગા પદયાત્રાનુ આયોજન કરાયુ હતુ

જેમા પ્રાંત અધિકારી એન.ડી પટેલ, ટી.ડી.ઓ એમ.આઈ. પટેલ, પૂર્વ ધારા સભ્ય અશ્વિનભાઈ કોટવાલ, ડી.વાય.એસ.પી. સ્મિત ગોહિલ, પોલીસ, હોમગાર્ડ,

ફોરેસ્ટ વિભાગ, સહિત તમામ સરકારી કચેરીઓના સ્ટાફ, વેપારીઓ, ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશ બારોટ, નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી, નગરપાલિકા,

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત ભાજપના હોદ્દેદાર કાર્યકર્તાઓ, શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યા મા આ તિરંગા યાત્રામા જોડાયા હતા

આ યાત્રા શેઠ. કે.ટી. હાઈસ્કૂલથી નીકળી માણેકચોક, રેલવે સ્ટેશન, સરદાર ચોક, પેટ્રોલ પંપ, લક્ષ્મીપુરા ચાર રસ્તા, સિવિલ રોડ થઇ શાળામાં પરત ફરી હતી.

Najar News
Author: Najar News

Leave a Comment