ખેડબ્રહ્માથી અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન લોકાર્પણનો અનેરો ઉત્સાહ: ટ્રેનના આગમન વધામણે સાંસદશ્રી શોભનાબેન બારૈયા કલાકારો સાથે ગરબે ઘૂમ્યા

ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન ખાતે નવી ટ્રેન સેવાના પ્રારંભના ઐતિહાસિક અને આનંદદાયક અવસરે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જ્યારે સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત ગીતો અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી રહી હતી, ત્યારે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા પોતાને રોકી શક્યા નહોતા અને તેઓ પણ આ આનંદમાં સહભાગી થયા હતા. સાંસદશ્રીએ કલાકારો સાથે ગરબે ઘૂમીને લોકોનો ઉત્સાહ બમણો કર્યો હતો. વિકાસના આ અવસરને વધાવવા માટે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ લોક-કલાકારો સાથે ગરબે ઘૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે દર્શાવતું હતું કે આ ટ્રેન સેવા માત્ર પરિવહનનું સાધન નહીં પણ આ વિસ્તારના લોકોની આકાંક્ષાઓની ઉડાન છે.
***
Author: Najar News
Post Views: 174








Total Users : 782212
Total views : 33761461