ખેડબ્રહ્મા મામલતદાર કૈલાશ ગીરી ગોસ્વામી ની બદલી બનાસકાંઠા
ના વાવ તાલુકા ખાતે કરાઈગુજરાત સરકારે મહેસૂલ વિભાગના મામલતદાર કેડરના અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશો જારી કર્યા છે. ૮ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.ગાંધીનગર: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા શુક્રવાર, ૮ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મામલતદાર કેડર, વર્ગ ૨ ના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી છે. ત્યારે ખેડબ્રહ્મા મામલતદાર કૈલાશ ગીરી ગોસ્વામી ની બદલી બનાસકાંઠા
ના વાવ તાલુકા ખાતે કરાઈ છે
તો નવીન મામલતદાર તરીકે નિમણુક બુબડીયા મીતાન્સુ
ભાઇ ની અમદાવાદ થી ખેડબ્રહ્મા ખાતે બદલી કરાઈ
આ બદલીઓમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોનો સમાવેશ થાય છે, જેમને નવી પોસ્ટિંગ આપવામાં આવી છે.








Total Users : 782219
Total views : 33761470