ભારત દેશ ના પ્રધાનમંત્રીના જન્મ દિવસ પર રક્તદાન કરવા આહવાન કરાયુ
ખેડબ્રહ્મા

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી 17 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે ત્યારે 16 સપ્ટેમ્બરે
રકતદાન કેમ્પ યોજી એક લાખ બોટલ એકત્ર કરવાના ભાગ સ્વરૂપ આજરોજ રાજસભા સંસદ રમીલાબેન બારાને આ ભગીરથ કાર્યમાં સૌ મોટી સંખ્યામાં સહયોગી બની રક્તદાન કરે તેવો વિનંતી પત્ર જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્ય અને તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ તથા દેરોલ હાઇસ્કુલ આચાર્ય અને SVS કન્વીનર રાજેન્દ્રસિંહ રહેવર દ્વારા આપવામાં આવેલ. આ પ્રસંગે તાલુકા શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ તથા સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. સમગ્ર જિલ્લામાં 9 રક્તદાન કેન્દ્રો ઉપર રક્તદાન લેવા માટેની સગવડ તથા 5000 થી વધુ બોટલો રક્તદાન સ્વરૂપે ભેગી કરવાનો ટાર્ગેટ રાખેલ છે.
Author: Najar News
Post Views: 190








Total Users : 782216
Total views : 33761466