દૂરદર્શનના જાણીતા ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરી નું દુઃખદ અવસાન.
જાણીતા દૂરદર્શન ન્યૂઝરીડર, એન્કર સરલા મહેશ્વરી આજરોજ તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ અવસાન પામ્યા છે. તેમના નિધનના સમાચારથી તેમની શાંત હાજરી અને સમાચાર પ્રસ્તુતિને યાદ કરનારાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મહેશ્વરીએ પ્રતિષ્ઠિત દૂરદર્શન (ડીડી) ના ન્યૂઝ એન્કર તરીકે વર્ષ ૧૯૭૬-૨૦૦૫ દરમિયાન સેવા આપી હતી, જેઓ તેમની સરળ ભાષામાં દોષરહિત હિન્દી ઉચ્ચારણ માટે પ્રખ્યાત હતા.
મહેશ્વરી ખાસ કરીને ૧૯૮૦ અને ૧૯૯૦ ના દાયકામાં તેમના શાંત અવાજ, સમાચારની સંયમિત અને સુંદર શૈલી માટે પ્રખ્યાત હતા.
સરલા મહેશ્વરી સુરતના ભગવાનદાસ લેખડિયા પરિવારના સભ્ય હતા.
Author: Najar News
Post Views: 66








Total Users : 782216
Total views : 33761466