best news portal development company in india

ખેડબ્રહ્મા જૈન સમાજ ધ્વારા પર્યુષણમાં કતલખાના બંધ રાખવા માંગ 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા જૈન સમાજ ધ્વારા પર્યુષણમાં કતલખાના બંધ રાખવા માંગ 

 ખેડબ્રહ્મા

શ્રવણ માસમાં જૈનોના પવિત્ર તહેવાર પર્યુષણ આવી રહ્યો છે ત્યારે જૈન સમાજ ધ્વારા ખેડબ્રહ્મા નગર પાલિકા વિસ્તારમાં ચાલતા કતલખાના ને વેપાર તે સમય માટે બંધ રાખવા માટે માંગ કરવામાં આવી છે 

ખેડબ્રહ્મા નગર પાલિકા વિસ્તારના સમસ્ત જૈન સમાજ ધ્વારા બુધવારના રોજ ખેડબ્રહ્મા નગર પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આગામી 20 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી જૈન સમાજનો ધાર્મિક તહેવાર પર્યુષણ આવી રહ્યો છે જૈન સમાજ અહિંસાનું પાલન કરનાર સમાજ છે જેથી આગામી દિવસોમાં નગર પાલિકા વિસ્તારમાં કતલખાના બંધ રહે તે ઇચ્છનીય છે. જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં પ્રાણી, પક્ષી, જળચરના કતલખાના મટન, ચિકન, મચ્છીનું વેચાણ પર બંધ રાખવા જાહેરનામું બહાર પાડવા આનુરોધ કરવામાં આવ્યો છે આ આવેદન આપવા માટે મનીષભાઈ કોઠારી, સ્વપ્નિલ શાહ, દિલીપભાઈ મહેતા સહિત જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

Najar News
Author: Najar News

Leave a Comment