વસંતોત્સવ – 2026 અંતર્ગત ટ્રાઈબલ ફોક ફેસ્ટિવલ સંસ્કૃતિ કુંજ,ગાંધીનગર ખાતે આયોજિત વસંતોત્સવમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું આદિવાસી “જવારા નૃત્ય ” પ્રસ્તુત કરવામાં આવ્યું.

નિરૂપા સર્વ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા તા.28/2/2026 ના રોજ ગાંધીનગર ખાતે ખેડબ્રહ્મા તાલુકાનું આદિવાસી ” જવારા નૃત્ય ” નેશનલ લેવલ પસંદગી પામેલ.સાબરકાંઠા માટે ગૌરવની ક્ષણ કહી શકાય એવું આ નૃત્ય હોળીના સમયે કરવામાં આવે છે. જેમાં નિરૂપા સર્વ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ.પ્રિયંકા ખરાડી,મંત્રીશ્રી જીગર ખરાડી,ઉપપ્રમુખ શ્રીમતી નીરૂબેન ખરાડી તથા શ્રી કમલેશભાઈ ખરાડી, કલાવૃંદના લીડર શ્રીમતી ગીતાબેન પારગી ,શ્રી કમલેશભાઈ પારગી,શ્રી મોહિત ડામોર અને ઝાંઝવા – પાણાઇ ગામના નૃત્ય પ્રસ્તુત કરનાર કલાકારોનો દર્શકો દ્વારા જબરજસ્ત પ્રતિસાદ મળેલ અને આ વસંતોત્સવમાં સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરેલ છે.
Author: Najar News
Post Views: 63








Total Users : 782216
Total views : 33761466