best news portal development company in india

ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ વરાયા 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ વરાયા 

નજર ન્યુજ | ખેડબ્રહ્મા 

ખેડબ્રહ્મા કેળવણી મંડળની વર્ષ 2025-26 ની જનરલ સભા શેઠ કે.ટી. હાઈસ્કૂલ ખાતે આરડેકતા ઇન્સ્ટીટ્યુટના વડા આર.ડી.પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ગત વર્ષના હિસાબો વંચાણમાં લેવામાં આવ્યા હતા. જ્યારે નવીન સભ્ય તરીકે નિયુક્ત થયેલ ડો. અમીષકુમાર વોરાએ હૉલ રીનોવેશન માટે 2,11,000 આપવાનું આહવાન કર્યું હતું. ત્યાર બાદ નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે જોશી જિગ્નેશકુમાર અશ્વિનભાઈ અને ઉપપ્રમુખ તરીકે પટેલ કનુભાઈ કોદરભાઈ અનેમંત્રી તરીકે મહેતા શૈલેશકુમાર પોપટલાલની વરણી કરવામાં આવી હતી નવીન વરાયેલ હોદ્દેદારોને મંડળના સભ્યઓ અભિનંદન પાઠવ્યા હતા સભાનું સંચાલન કપિલભાઈ ઉપાધ્યાયે કર્યું હતું

 

Najar News
Author: Najar News

Leave a Comment